FOLLOW US :
FacebookinstagramYouTube
Sarveshwar Gaudham Trust - Gaushala in Kobadi-Bhavnagarlogo_radha_vijayte

About us

Your tiny little help matters a lot, help us in this holy mission to protect, help, and save our mother cows.

About us
Left Decoration

શ્રી સર્વેશ્વર ગૌધામની સ્થાપના

Right Decoration

વિક્રમ સંવત ર૦૬૯ કારતક સુદ ૧૨ (બારસ) નવેમ્બર ૨૦૧૧ - શ્રી સર્વેશ્વર ગૌધામ સ્થાપના સમયની ઝાંખી

આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણની અત્યંત પ્રિય ગૌમાતા અને ગૌવંશનું પાલન, રક્ષણ અને સંવર્ધન કરવાનાં આદર્શને પ્રસ્થાપિત કરવા માટેનો સનિષ્ઠ પ્રયાસ છે - શ્રી સર્વેશ્વર ગૌધામ (કોબડી). આ ગૌશાળામાં ગૌમાતા તથા ગૌવંશ આનંદપૂર્વક બિરાજીત છે અને અહીં આવતાં ભાવિકોને ગૌ સંસ્કૃતિ પૂર્ણ અર્થમાં સમજાય એ માટેના સવિશેષ પ્રયત્નો પણ થઈ રહ્યા છે.

Left Decoration

શ્રી સર્વેશ્વર ગૌધામનો ઉદ્દેશ

Right Decoration
Left Decoration

દ્રષ્ટિકોણ

Right Decoration

શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીનો એક જ ઉદ્દેશ છે કે આ હિમાલય અને ગંગાના પવિત્ર દેશ ભારતમાં કયાંય કોઈ ગૌમાતા કે ગૌવંશ દુ:ખી ન થાય તથા સનાતન ધર્મની ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તથા ગૌમાતાનું જતન થાય એ ઉદ્દેશ સાથે શ્રી સર્વેશ્વર ગૌધામ સેવા કરી રહ્યુ છે તથા અન્નનાં અભવામાં કોઈ વ્યકિત ભુખ્યુ ન રહે એ માટે અન્નક્ષેત્ર તથા દવા કે સારવારનાં અભાવમાં કોઈનો જીવ ન જાય એ માટે હોસ્પિટલની સેવા અને જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચે એ માટે પૂજય જયદેવશરણજી મહારાજ સતત પ્રયત્નશીલ રહે છે.

Left Decoration

ધ્યેય

Right Decoration

શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના સ્થાપક પરમ પૂજય જયદેવશરણજી મહારાજ એક જ ધ્યેય સાથે કાર્ય કરી રહયા છે કે ધરતી પર કયાંય કોઈ ગૌમાતા કે કોઈ ગૌવંશ ઘાસચારા, સારવાર કે આશરાના અભાવમાં પોતાનો પ્રાણ ન છોડે. સનાતન ધર્મનું અભિન્ન અંગ એવી ગૌમાતાનું રક્ષણ તથા આપણી વૈદિક પરંપરાનું રક્ષણ તથા યુવાનો વ્યસન અને ફેશનથી દૂર થઈ ગૌસેવા તરફ પ્રેરાય અને આપણો ભારત દેશ ફરી એકવાર વિશ્વગુરૂ બને એ ધ્યેય સાથે આ ગૌશાળા કામ કરી રહી છે.